New

Original price was: ₹325.00.Current price is: ₹292.50.

KOTHASUZ KELAVO DHANKUBERNI

કોઠાસૂઝ કેળવો ધનકુબેરની

Meet The Author

"વનરાજ માલવી ગુજરાતી સાહિત્યમાં વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રે એક જાણીતું નામ છે. તેમના પુસ્તકોએ હજારો ગુજરાતીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે. તેઓ માત્ર લેખક નથી, પરંતુ એક પ્રેરણાસ્ત્રોત છે જે પોતાના શબ્દો દ્વારા લોકોને આત્મવિશ્વાસ કેળવવા, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અને સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. વનરાજ માલવીના લેખનની મુખ્ય વિશેષતા તેની સરળતા, સ્પષ્ટતા અને વ્યવહારિકતા છે. તેઓ જટિલ વિષયોને પણ સહેલાઈથી સમજી શકાય તેવી ભાષામાં રજૂ કરે છે. તેમના પુસ્તકો માત્ર સિદ્ધાંતો જ નથી શીખવતા, પરંતુ વાસ્તવિક જીવનના ઉદાહરણો દ્વારા વાચકોને માર્ગદર્શન પૂરું પાડે છે. આત્મવિશ્વાસ વધારવો, સકારાત્મક વિચારસરણી, સંબંધો સુધારવા, અને સમય વ્યવસ્થાપન જેવા વિષયો તેમના લેખનના કેન્દ્રમાં હોય છે. વનરાજ માલવીની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમનો ગુજરાતી વાચકો સાથેનો ઊંડો નાતો અને તેમની જરૂરિયાતોને સમજવાની ક્ષમતા છે. તેમના લખાણો હંમેશા વાચકોમાં આશા અને ઉત્સાહ ભરે છે, તેમને પોતાની જાતને સુધારવા અને સંતોષકારક જીવન જીવવા માટે પ્રેરિત કરે છે."

અમેરિકાની કૉલેજનો એક વિદ્યાર્થી, નામ નેપોલિયન હિલ. તે કોઈક કારણસર જગતના તે સમયના સૌથી ધનાઢ્ય માણસને મળ્યો. બંને વચ્ચે સારી પેઠે વિચારોની આપલે થઈ. બાદ કાર્નેગીસાહેબને એક તુક્કો સૂઝ્યો. તેમણે હિલને કહ્યું : ‘તું એક કામ કર. જે જે માણસોએ પુરુષાર્થને બળે સંપત્તિ હાંસલ કરી છે તેમને તું મળ. તેમના ઇન્ટરવ્યૂ લે અને તે પરથી એક પુસ્તક તૈયાર કર. વિષય: માણસ શ્રીમંત કઈ રીતે થઈ શકે ? નેપોલિયન હિલે, પોતાના લાંબા અને ઊંડાણભર્યા અભ્યાસ બાદ એક તારણ કાઢ્યું: “માણસના વિચારો જ તેનાં કૃત્યોની દિશા નક્કી કરી આપે છે.” તમે ગરીબીના વિચારોને મનમાં ઘૂમવાની રજા આપો તો નિર્ધન જ રહેશો. સમૃદ્ધિ અને સંપત્તિના વિચારોને મનમાં વસાવો તો તમે એ પ્રકારે પરિણામ હાંસલ કરી શકો.

નેપોલિયન હિલે એક સચોટ સત્ય ખોળી કાઢ્યું ખરું, પણ તેના ટેકામાં માનસશાસ્ત્રનાં સંશોધનોનો જેટલો ટેકો લેવો જોઈએ તે લીધો નહોતો. એનું કારણ દેખીતું છે. તેમણે પોતાનાં પુસ્તકોની રચના કરી ત્યાર બાદ માનસશાસ્ત્રે ઘણી મોટી હરણફાળ ભરી છે.

છેલ્લાં કેટલાંક વરસથી મારા પર કોઈ કોઈ વાચકમિત્રોના પત્રો આવતા હતા. તેમના લખાણનો સૂર આવો કંઈક હતો: ‘તમે સફળતા વિષે ઠીક ઠીક પુસ્તકો લખ્યાં છે… પણ આર્થિક સફળતાને અનુલક્ષીને કેમ કંઈ લખતા નથી ?

આ વિનંતી પર વિચાર કરતાં મને થયું કે નેપોલિયન હિલ કે ડેલ કાર્નેગીનાં પુસ્તકો અમેરિકન સમાજને લક્ષમાં લઈને તૈયાર થયાં છે. તો આપણા દેશની ભૂમિકાને જ લક્ષમાં લઈને એવો પ્રયાસ થાય તો કેમ ? અને તેની સાથે અદ્યતન માનસશાસ્ત્રનો જે લાભ આપવાનું જે અન્ય પુસ્તકોમાં શક્ય બન્યું નથી, તો તે ખાધ દૂર કરી શકાય તો કેમ ? આ બંને મુદ્દાઓને અનુલક્ષી મારા પ્રયત્નો આદર્યા. તેની નિષ્પત્તિરૂપે આ ગ્રંથ ‘કોઠાસૂઝ કેળવો ધનકુબેરની’—તમારા હાથમાં આવે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “KOTHASUZ KELAVO DHANKUBERNI”

Your email address will not be published. Required fields are marked *