તમે આજે જે છો, જેવા છો, જે ખરેખર થઈ શકો છો છતાં તેવા થઈ શકતા નથી, તેની પાછળનું મુખ્ય કારણ તમારું અજ્ઞાત મન (Subconscious Mind) છે. તમારા અજ્ઞાત મનમાં જમા થયેલા સકારાત્મક કે નકારાત્મક વિચારો જ તમારા વ્યક્તિત્વ અને વર્તનનો ઢાંચો ઘડે છે. ઘણીવાર, તમારી જાણ બહાર પ્રવેશેલા નકારાત્મક વિચારો પ્રગતિમાં અવરોધરૂપ બને છે.
આ પુસ્તકનો હેતુ એ છે કે તમે તમારા અજ્ઞાત મનને તમારા હિતમાં કઈ રીતે વાળી શકો. લેખક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વપરાતા ‘કોન્શ્યસ માઇન્ડ’ (જ્ઞાત મન) અને ‘સબકોન્શ્યસ માઇન્ડ’ (અજ્ઞાત મન) વિશે સરળ ભાષામાં સમજૂતી આપે છે.
આ ગ્રંથ તમને તમારી વર્તમાન સમસ્યાઓમાંથી બહાર આવવા માટે રસ્તો કાઢવામાં અને જીવનનો નવો ઢાંચો (બ્લ્યુ પ્રિન્ટ) રચવામાં મદદરૂપ બનશે. ખાસ કરીને, ત્રીજા ખંડમાં અજ્ઞાત મનનો સંપર્ક કરવાની વિધિ વર્ણવવામાં આવી છે.
ગુજરાતી ભાષામાં માનવ મન અંગે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સરળ ભાષામાં લખાયેલું આ પુસ્તક, તમને તમારા આંતરમનની શક્તિનો ઉપયોગ કરતા શીખવશે.

Reviews
There are no reviews yet.