Original price was: ₹250.00.Current price is: ₹225.00.

AA UDYOGPATI ATI SAFAL THAYA KARAN KE…

આ ઉદ્યોગપતિ અતિ સફળ થયા કારણકે…
9789391513610 ,

Meet The Author

"વનરાજ માલવી ગુજરાતી સાહિત્યમાં વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રે એક જાણીતું નામ છે. તેમના પુસ્તકોએ હજારો ગુજરાતીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે. તેઓ માત્ર લેખક નથી, પરંતુ એક પ્રેરણાસ્ત્રોત છે જે પોતાના શબ્દો દ્વારા લોકોને આત્મવિશ્વાસ કેળવવા, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અને સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. વનરાજ માલવીના લેખનની મુખ્ય વિશેષતા તેની સરળતા, સ્પષ્ટતા અને વ્યવહારિકતા છે. તેઓ જટિલ વિષયોને પણ સહેલાઈથી સમજી શકાય તેવી ભાષામાં રજૂ કરે છે. તેમના પુસ્તકો માત્ર સિદ્ધાંતો જ નથી શીખવતા, પરંતુ વાસ્તવિક જીવનના ઉદાહરણો દ્વારા વાચકોને માર્ગદર્શન પૂરું પાડે છે. આત્મવિશ્વાસ વધારવો, સકારાત્મક વિચારસરણી, સંબંધો સુધારવા, અને સમય વ્યવસ્થાપન જેવા વિષયો તેમના લેખનના કેન્દ્રમાં હોય છે. વનરાજ માલવીની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમનો ગુજરાતી વાચકો સાથેનો ઊંડો નાતો અને તેમની જરૂરિયાતોને સમજવાની ક્ષમતા છે. તેમના લખાણો હંમેશા વાચકોમાં આશા અને ઉત્સાહ ભરે છે, તેમને પોતાની જાતને સુધારવા અને સંતોષકારક જીવન જીવવા માટે પ્રેરિત કરે છે."

આજે આપણા દેશના ઉદ્યોગપતિઓ પોતાના વ્યાપારનો વ્યાપ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકસાવે છે. આપણો દેશ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આપણી અર્થવ્યવસ્થાને વધારે ને વધારે આગળ ધપાવવા માટે નવા નવા આઈડિયા સાથે સ્ટાર્ટઅપ શરૃ કરવા સૌથી વધારે જરૃરી છે. આ સંજોગોમાં આજે અનેક યુવકો નોકરીનું શરણું શોધવાને બદલે ઉદ્યોગોના ક્ષેત્રમાં ઝંપલાવવા થનગની રહ્યા છે.

આવા સાહસી યુવાનોને પ્રેરણા મળે તે હેતુસર આ પુસ્તકમાં એવા ઉદ્યોગપતિઓની વાત છે જેમણે શૂન્યમાંથી સર્જન કરીને પોતાના વ્યવસાયને સમગ્ર દુનિયામાં ફેલાવેલો છે. આ ઉદ્યોગપતિઓ સફળ કેમ થયા ? તેમની કામ કરવાની પદ્ધતિ શું હતી? તેમણે અલગ અલગ પરિસ્થિતિઓમાં કેવા નિર્ણયો લીધા… આવી અનેક બાબતો દર્શાવી છે જે એવા નવયુવાનો કે જેઓ નવા સ્ટાર્ટઅપમાં રસ દર્શાવે છે તેમને ખૂબ જ ઉપયોગી નીવડશે એમાં કોઈ શક નથી.