સંસ્પર્શમાં લેવામાં આવેલા વિવેચનાત્મક લેખો માત્ર કવિઓ, સાહિત્યકારો અને તેમની કૃતિઓની બાહ્ય સમીક્ષા પૂરતા સીમિત નથી, પરંતુ સર્જકના અંતરમન અને તેની કૃતિના મૂળભૂત મર્મને સ્પર્શવાનો સભાન પ્રયાસ છે. અહીં, લેખિકાએ એક વિવેચક તરીકેની પોતાની ભૂમિકાને સુપેરે નિભાવી છે, જ્યાં તેમણે પ્રત્યેક સાહિત્યકારના સર્જનની વિશેષતાઓને બારીક દૃષ્ટિથી તપાસી છે.
‘સંસ્પર્શ’માં પ્રત્યેક લેખ એ કૃતિઓ પ્રત્યેનો એક સંવેદનશીલ દૃષ્ટિકોણ છે, જે વાચકને કૃતિના ઊંડાણ સુધી લઈ જાય છે. આ લેખો સાહિત્યના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિવેચનકલામાં રસ ધરાવતા દરેક વાચક માટે નવી દિશા અને દૃષ્ટિ પૂરી પાડશે.
આ પુસ્તક વિવેચનના પરંપરાગત માર્ગથી અલગ તરી આવે છે, કારણ કે તે માત્ર દોષ-ગુણનું નિરૂપણ કરવાને બદલે, સર્જનની પ્રક્રિયા અને તેની આંતરિક સુંદરતાને આદરપૂર્વકનો ‘સંસ્પર્શ’ આપે છે.

Reviews
There are no reviews yet.