Original price was: ₹375.00.Current price is: ₹337.50.

SAYURI

સાયુરી

9788119603855 ,

Meet The Author

"ડૉ. નવીન વિભાકર, વ્યવસાયે ચિકિત્સક હોવા છતાં, ગુજરાતી સાહિત્યના એક પ્રખર અને બહુમુખી લેખક તરીકે જાણીતા છે. લગભગ અડધી સદીથી તેઓ અવિરતપણે લેખન કાર્ય કરી રહ્યા છે, જેમાં તેમણે 65 થી વધુ પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમની કૃતિઓમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, આત્મકથાત્મક લેખો, પ્રેરણાદાયક જીવનચરિત્રો અને પ્રવાસ પુસ્તકોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી અવસ્થાથી જ શરૂ થયેલી તેમની લેખન યાત્રામાં, તેમની ટૂંકી વાર્તાઓ 'અખંડ આનંદ' અને 'કુમાર' જેવી પ્રતિષ્ઠિત પત્રિકાઓમાં નિયમિતપણે પ્રકાશિત થઈ છે. ગુજરાતી ઉપરાંત, તેમણે હિન્દી, બ્રેઈલ અને અંગ્રેજીમાં પણ પુસ્તકો લખ્યા છે, અને વિશ્વ સાહિત્યના કેટલાક ઉત્તમ નમૂનાઓનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. ગુજરાતી સાહિત્યમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. નવીન વિભાકર એક એવા સાહિત્યકાર છે જેમણે પોતાના શબ્દો દ્વારા અનેક લોકોને પ્રેરણા આપી છે અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે."

અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી સાયુરીની વાત. તેના જીવનમાં આવેલ અનેક સંઘર્ષો અને તોફાનોની હૃદયસ્પર્શી રજૂઆત. આ દુનયાની ઝાકમઝોળ તેને હવે સ્પર્શ કરી શકે તેમ નથી. તેના આખા આયખા વ્શિ જાણ્યા પછી મારા મનમાં પ્રશ્નો ઉઠતા કે તેને મારામાં જ વિશ્વાસ કેમ? શા માટે જીવનકથા લખાવવા તે તૈયાર થઈ? એ આખી જીવનકથા રેકોર્ડ થઈ ગયા પછી હિંમત કરી પૂછી નાખ્યું. તો એ બોલી, ‘પ્રોફેસર સાન! તમે શા માટે લખવા પ્રેરાયા?’ શું જવાબ આપું? આખી જીવનકથા રેકોર્ડ થઈ તે સાંભળીને હૃદયદ્વાવક તેના સંજોગો વિશે જાણી તેના ત્યાગ વિશે જાણીને જ બધું લખાયુંને! અને ફરી તેની જીવનકથા સાંભળવા, આટલા વર્ષો બાદ તેનું તો મૃત્યુ થઈ ગયું હતું તે પાછું જાણવા મેં ટેપરેકોર્ડર તરફ હાથ લંબાવ્યો ને ચાંપ દબાવી….