Original price was: ₹550.00.Current price is: ₹495.00.

INDIRA GANDHI

ઇન્દિરા ગાંધી

9789349687998 ,

Meet The Author

"ડૉ. નવીન વિભાકર, વ્યવસાયે ચિકિત્સક હોવા છતાં, ગુજરાતી સાહિત્યના એક પ્રખર અને બહુમુખી લેખક તરીકે જાણીતા છે. લગભગ અડધી સદીથી તેઓ અવિરતપણે લેખન કાર્ય કરી રહ્યા છે, જેમાં તેમણે 65 થી વધુ પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમની કૃતિઓમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, આત્મકથાત્મક લેખો, પ્રેરણાદાયક જીવનચરિત્રો અને પ્રવાસ પુસ્તકોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી અવસ્થાથી જ શરૂ થયેલી તેમની લેખન યાત્રામાં, તેમની ટૂંકી વાર્તાઓ 'અખંડ આનંદ' અને 'કુમાર' જેવી પ્રતિષ્ઠિત પત્રિકાઓમાં નિયમિતપણે પ્રકાશિત થઈ છે. ગુજરાતી ઉપરાંત, તેમણે હિન્દી, બ્રેઈલ અને અંગ્રેજીમાં પણ પુસ્તકો લખ્યા છે, અને વિશ્વ સાહિત્યના કેટલાક ઉત્તમ નમૂનાઓનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. ગુજરાતી સાહિત્યમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. નવીન વિભાકર એક એવા સાહિત્યકાર છે જેમણે પોતાના શબ્દો દ્વારા અનેક લોકોને પ્રેરણા આપી છે અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે."

જેમના એક નિર્ણયે વિશ્વનો નકશો બદલી નાખ્યો, એ છે ‘ઇન્દિરા ગાંધી’

હિન્દુસ્તાનનો ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે-જ્યારે આ દેશ પર સંકટ આવ્યું છે, ત્યારે-ત્યારે આ ધરતીના સપૂતો અને દીકરીઓએ અદ્ભુત સામર્થ્યના દર્શન કરાવ્યા છે.
આજે તમારા હાથમાં જે પુસ્તક છે, તે માત્ર કાગળના પાના નથી, પણ ભારતના લોકતંત્રની એક એવી સફર છે જેને જાણવી અને સમજવી આજના યુવાવર્ગ માટે ખૂબ જરૂરી છે. વાત એ ‘નારી શક્તિ’ની છે, જેમણે ભારતના વડાપ્રધાન તરીકે વિશ્વના નકશા પર હિન્દુસ્તાનનો ડંકો વગાડ્યો હતો.
રાજનીતિમાં વિચારધારાઓ અલગ હોઈ શકે, મતભેદ હોઈ શકે, પરંતુ ઇતિહાસના પાને જેમના નિર્ણયોએ દેશની દિશા નક્કી કરી, એવા વ્યક્તિત્વનો અભ્યાસ કરવો જ રહ્યો. એક તરફ ૧૯૭૧ના યુદ્ધનો વિજયઘોષ અને બીજી તરફ ઈમરજન્સીનો એ કાળો અધ્યાય… આ પુસ્તકમાં તમને સિક્કાની બંને બાજુ જોવા મળશે.
એક શાસક તરીકેની તેમની મક્કમતા હોય કે માતા તરીકેની તેમની મમતા, સત્તાના શિખરે પહોંચવાનો સંઘર્ષ હોય કે દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના… આ પુસ્તક તમને એ યુગમાં લઈ જશે.
કહેવાય છે કે “જે પ્રજા પોતાના ઈતિહાસને જાણતી નથી, તે ઈતિહાસ રચી શકતી નથી.” આવનારી પેઢીને ભારતીય રાજનીતિના ઉતાર-ચઢાવ સમજાવવા માટે આ પુસ્તક એક દીવાદાંડી સમાન છે.
તો આવો, વાંચીએ અને જાણીએ… ભારતના એકમાત્ર મહિલા વડાપ્રધાનના જીવનની આરપાર!

– આરીફ ખલીફા