જેમના એક નિર્ણયે વિશ્વનો નકશો બદલી નાખ્યો, એ છે ‘ઇન્દિરા ગાંધી’
હિન્દુસ્તાનનો ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે-જ્યારે આ દેશ પર સંકટ આવ્યું છે, ત્યારે-ત્યારે આ ધરતીના સપૂતો અને દીકરીઓએ અદ્ભુત સામર્થ્યના દર્શન કરાવ્યા છે.
આજે તમારા હાથમાં જે પુસ્તક છે, તે માત્ર કાગળના પાના નથી, પણ ભારતના લોકતંત્રની એક એવી સફર છે જેને જાણવી અને સમજવી આજના યુવાવર્ગ માટે ખૂબ જરૂરી છે. વાત એ ‘નારી શક્તિ’ની છે, જેમણે ભારતના વડાપ્રધાન તરીકે વિશ્વના નકશા પર હિન્દુસ્તાનનો ડંકો વગાડ્યો હતો.
રાજનીતિમાં વિચારધારાઓ અલગ હોઈ શકે, મતભેદ હોઈ શકે, પરંતુ ઇતિહાસના પાને જેમના નિર્ણયોએ દેશની દિશા નક્કી કરી, એવા વ્યક્તિત્વનો અભ્યાસ કરવો જ રહ્યો. એક તરફ ૧૯૭૧ના યુદ્ધનો વિજયઘોષ અને બીજી તરફ ઈમરજન્સીનો એ કાળો અધ્યાય… આ પુસ્તકમાં તમને સિક્કાની બંને બાજુ જોવા મળશે.
એક શાસક તરીકેની તેમની મક્કમતા હોય કે માતા તરીકેની તેમની મમતા, સત્તાના શિખરે પહોંચવાનો સંઘર્ષ હોય કે દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના… આ પુસ્તક તમને એ યુગમાં લઈ જશે.
કહેવાય છે કે “જે પ્રજા પોતાના ઈતિહાસને જાણતી નથી, તે ઈતિહાસ રચી શકતી નથી.” આવનારી પેઢીને ભારતીય રાજનીતિના ઉતાર-ચઢાવ સમજાવવા માટે આ પુસ્તક એક દીવાદાંડી સમાન છે.
તો આવો, વાંચીએ અને જાણીએ… ભારતના એકમાત્ર મહિલા વડાપ્રધાનના જીવનની આરપાર!
– આરીફ ખલીફા

Reviews
There are no reviews yet.