અનુઆધુનિક વાર્તાકારોમાં ભરત સોલંકીની વાર્તાઓ સંવેદન અને અભિવ્યક્તિની દૃષ્ટિએ આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. આ વાર્તાઓમાંથી પસાર થતાં એ સ્પષ્ટ જણાય છે કે સર્જક ક્યારેક સ્વરૂપ કરતાં સંવેદનને પ્રગટ કરવામાં વધુ શ્રદ્ધા ધરાવે છે. પરિણામે, તેમની ‘ફેરો’ અને ‘જમના શિશુસદન’ જેવી વાર્તાઓ જીવનકથાનાત્મક પરિમાણ ધારણ કરે છે.
સર્જક અહીં ભિન્ન-ભિન્ન પ્રયુક્તિઓનો વિનિયોગ કરીને નગરપરિવેશ અને ગ્રામપરિવેશની સબળ પૃષ્ઠભૂમિ પર વાર્તાઓનું સર્જન કરે છે. પ્રતીકો, કલ્પનો, અલંકારો, કહેવતો, રૂઢિપ્રયોગો અને કાવ્યપંક્તિઓનો ઉચિત પ્રયોગ તેમના ઉત્તમ ભાષાકર્મનો પરિચય કરાવે છે. વિશેષ કરીને, વાર્તાઓમાં જ્યારે ઝાલાવાડી બોલીનો વિનિયોગ થાય છે, ત્યારે તે ભાવકને ક્યાંય ખટકતી નથી, પરંતુ તેનું સચોટ પ્રત્યાયન વાચક સુધી પહોંચે છે.
સર્જકની ખરી કસોટી ત્યાં થતી જણાય છે જ્યાં તેઓ શૃંગારરસ કે રતિરાગની વાર્તાઓ આલેખે છે. ‘ફણગો’, ‘બદલો’ અને ‘સખીરી! મેં તો પ્રેમદિવાની’ જેવી વાર્તાઓમાં જ્યારે શૃંગારનું નિરૂપણ થાય છે, ત્યારે લેખક પૂરી મર્યાદા જાળવીને કળાપદાર્થની ખેવના રાખે છે. સૌંદર્ય અને મર્યાદાનો આ સમન્વય તેમની વાર્તાકળાની એક વિશિષ્ટ ઓળખ બની રહે છે.
New
Original price was: ₹160.00.₹144.00Current price is: ₹144.00.

Reviews
There are no reviews yet.