Original price was: ₹225.00.Current price is: ₹202.50.

VISHISHT VARTAO : AJAY SONI

વિશિષ્ટ વાર્તાઓ : અજય સોની

9789349687233

Meet The Author

અજય સોનીની વાર્તાઓ મુખ્યત્વે પાત્રપ્રધાન હોય છે. તેઓ ઘટનાનો માત્ર આછો આધાર લઈને પાત્રોના મનોજગત પર પોતાનો કૅમેરો કેન્દ્રિત કરે છે. લેખક પાત્રના મનમાં ડૂબકી મારીને તેની અતૃપ્તિ, ભય, ગુપ્ત ઇચ્છાઓ અને દમિત ભાવોને સપાટી પર લાવે છે. તેમની અભિવ્યક્તિની અવનવી તરાહો વાર્તાને કલાત્મકતા બક્ષે છે.
તેમના માટે પરિવેશ એ માત્ર એક કૅન્વાસ નથી, પણ વાર્તાનું એક અભિન્ન અંગ છે. રણ, હવેલી, જંગલ કે મજૂરોની ચાલી જેવા પરિવેશ પાત્રોની આંતરિક સ્થિતિના રૂપક બનીને ઉપસે છે. અજય સોનીનાં સ્ત્રી પાત્રો વિશેષ ધ્યાન ખેંચે છે. આ પાત્રો દમન સહન કરે છે, છતાં તેમની ભીતર સંઘર્ષ અને વિદ્રોહની આગ હંમેશા જીવંત રહે છે, જે યોગ્ય સમયે પ્રગટ થાય છે. ‘દાઝ’ની નબુ હોય, ‘રેતીમાં ખૂંપેલું મોરચંગ’ની રોમત હોય કે પછી ‘ઉગારો’નાં સાસુ-વહુ – આ તમામ પાત્રો અત્યંત જીવંત લાગે છે. તેમની ખુમારી અને જીવન પ્રત્યેની શ્રદ્ધા તેમને એક અલગ ઊંચાઈ અર્પે છે.
અજય સોની એવા વાર્તાકાર નથી જે વાચકને માત્ર મનોરંજન કે રાહત આપે; તેઓ એવા સર્જક છે જે આપણી સામે અરીસો ધરે છે. આ અરીસામાં આપણને સમાજનું અને ક્યારેક આપણું પોતાનું પ્રતિબિંબ દેખાય છે, જે કદાચ હંમેશા ગમે તેવું ન પણ હોય. તેમની કલમની તાકાત નિર્મમ વાસ્તવિકતા, ઊંડા મનોવૈજ્ઞાનિક અવલોકન, સશક્ત પ્રતીક-વિધાન અને સંયમિત છતાં ધારદાર ભાષામાં રહેલી છે.