“આ રામકથા નથી, પણ રાવણકથા છે.”
ભારતીય સાહિત્યમાં રામાયણને જોવાની એક તદ્દન નવી અને ક્રાંતિકારી દ્રષ્ટિ એટલે ‘વયં રક્ષામઃ’. પ્રખર વિદ્વાન આચાર્ય ચતુર્સેનની આ કલજયી કૃતિ માત્ર એક પૌરાણિક નવલકથા નથી, પરંતુ પ્રાચીન ભારતની નૃવંશશાસ્ત્રીય (Anthropological) અને સાંસ્કૃતિક સંઘર્ષની ગાથા છે.
આ નવલકથાનો નાયક રામ નથી, પણ દશાનન રાવણ છે. અહીં રાવણ માત્ર એક ખલનાયક નથી, પણ મહાપંડિત, રાજનીતિજ્ઞ અને રક્ષ-સંસ્કૃતિનો મહાન રક્ષક છે. આર્ય સંસ્કૃતિ (દેવ સંસ્કૃતિ) અને દ્રવિડ/રક્ષ સંસ્કૃતિ વચ્ચેના મહાસંઘર્ષને લેખકે અદભુત રીતે આલેખ્યો છે.
વેદ, પુરાણ અને ઈતિહાસના ઊંડા સંશોધનના આધારે આચાર્ય ચતુર્સેને સિદ્ધ કર્યું છે કે લંકાપતિ રાવણ અને તેની સંસ્કૃતિ કેટલી ભવ્ય અને સમૃદ્ધ હતી. નર, વાનર, રીંછ અને રાક્ષસ જાતિઓના સામાજિક તાણાવાણા અને રાજકીય કાવાદાવાઓનું આવું રોમાંચક વર્ણન અન્યત્ર જડવું મુશ્કેલ છે.

Reviews
There are no reviews yet.