ભગવાન શિવ એ માત્ર દેવ નથી, પણ સૃષ્ટિનો લય અને પ્રલય બંને છે. શિવપુરાણ અનુસાર, જ્યાં જ્યાં ભગવાન ભોળાનાથ જ્યોતિસ્વરૂપે પ્રગટ થયા, તે સ્થાનો ‘જ્યોતિર્લિંગ’ તરીકે ઓળખાયા.
આ પુસ્તકનો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ વાચકના હૃદયમાં શિવતત્ત્વ પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ કરવાનો છે. સોમનાથની અડગતા, મહાકાલેશ્વરનો કાળ પરનો વિજય, વિશ્વનાથની મુક્તિદાયી કાશી અને કેદારનાથની દુર્ગમ સાધના – આ બધું જ આપણને જીવન જીવવાની નવી દિશા આપે છે.
આશા છે કે બાર જ્યોતિર્લિંગોના મહિમાનું ગાન કરતું આ પુસ્તક વાચકોને શિવકૃપાની અનુભૂતિ કરાવશે અને તેમની આધ્યાત્મિક ઉન્નતિમાં નિમિત્ત બનશે.

Reviews
There are no reviews yet.