સર્જક સંજય ચૌહાણની વાર્તાઓમાં ઉત્તર ગુજરાતની ધરતીનું તળપદું લોકજીવન માત્ર આકારિત નથી થયું, બલકે પ્રત્યક્ષ અને સજીવ બનીને ઊપસી આવ્યું છે. તેમની કથાઓમાં આ પ્રદેશના માનવીય સંવેદનાના સૂક્ષ્મ તાણાવાણા, જીવનનાં સુખ—દુઃખના ઘેરા રંગો, અને વ્યવહારિક મુશ્કેલીઓ તથા સામાજિક સમસ્યાઓનો પ્રભાવશાળી ચિતાર મળે છે.
સંજય ચૌહાણની વાર્તાઓની જમીન તળપદા જીવનની કડવી વાસ્તવિકતા પર ઊભી છે. આ વાર્તાઓમાં નારીની સ્વાતંયની પ્રબળ ઝંખના, દલિતોની અન્યાય સામેની વેદના અને સામાન્ય માણસની જીવંત સંવેદનાઓનું એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી ચિત્રણ મળે છે. તેઓ પાત્રોના આંતરિક સંઘર્ષોને એવી સૂક્ષ્મતાથી રજૂ કરે છે કે વાચક પણ તે વેદનાનો સહભાગી બની જાય છે.
ગુજરાતીના જાણીતા વિવેચકોના સકારાત્મક અભિપ્રાયો સ્પષ્ટ દર્શાવે છે કે સંજય ચૌહાણની વાર્તાઓ અનુઆધુનિક ટૂંકી વાર્તા સર્જનના ક્ષેત્રમાં મક્કમ અને મોખરાનું સ્થાન ધરાવે છે, જે તેમને સમકાલીન સાહિત્યમાં એક વિશિષ્ટ ઓળખ આપે છે.
Original price was: ₹225.00.₹202.50Current price is: ₹202.50.
