સોમનાથ !
“જ્યાં શિવની આરાધના મૃદંગના નાદ સાથે નહીં, પણ તલવારોની ખણખણાટી અને વીરોના રક્તાભિષેક સાથે થતી હતી.”
ભારતીય ઈતિહાસના સૌથી સંવેદનશીલ અને ઝંઝાવાતી પ્રકરણ પર આધારિત આચાર્ય ચતુર્સેનની આ એક એવી ઐતિહાસિક નવલકથા છે, જે વાચકના રુંવાડા ઊભા કરી દેશે. આ કથા છે પ્રભાસ પાટણના એ સુવર્ણ યુગની, જ્યારે સોમનાથ મહાદયનું મંદિર ભારતની સમૃદ્ધિ અને શ્રદ્ધાનું કેન્દ્ર હતું.
સુલતાન મહમૂદ ગઝનવીના ક્રૂર આક્રમણ અને સોમનાથના ધ્વંસની આસપાસ ગૂંથાયેલી આ કથા માત્ર પથ્થરો તૂટવાની વાત નથી, પરંતુ અખૂટ આસ્થા અને અદમ્ય શૌર્યની દાસ્તાન છે. આ પુસ્તકમાં એક તરફ આક્રમણખોરોની લૂંટવૃત્તિ અને બર્બરતા છે, તો બીજી તરફ મંદિરની રક્ષા કાજે હસતા મુખે બલિદાન આપતા ગુજરાતના શૂરવીરો અને શિવભક્તોનું અનોખું ઝનૂન છે.
આચાર્ય ચતુર્સેને ઈતિહાસના તથ્યોની સાથે માનવીય સંવેદનાઓ—પ્રેમ, ઈર્ષ્યા, રાજનીતિ, છળકપટ અને ત્યાગ—નો એવો અદભુત સંયોગ રચ્યો છે કે વાચક સદીઓ પાછળ એ રણમેદાનમાં પહોંચી જાય છે.

Reviews
There are no reviews yet.