Original price was: ₹300.00.Current price is: ₹270.00.

NAGARVADHU

નગરવધૂ

9789349687219 ,

Meet The Author

સમાજસેવા એ માત્ર મંચ પરથી અપાતાં મોટાં ભાષણો પૂરતી સીમિત છે કે પછી તેમાં ખરેખર કાદવમાં ઊતરીને કમળ ખીલવવાની હિંમત જોઈએ છે?
ખલીલ ધનતેજવીની આ અત્યંત વેધક અને વાસ્તવિક નવલકથાનો આરંભ આ જ પ્રશ્નથી થાય છે. સમાજસેવિકા મમતા એક મોટો અને જોખમી આદર્શ અપનાવે છે: એક વેશ્યાને સુધારીને સમાજમાં સન્માનભેર સ્થાપિત કરવી! આ માટે તે ભયાનક વેશ્યાવાડમાં જઈને ‘લીલી’ નામની નગરવધૂને પોતાના ઘરમાં લઈ આવે છે.
પતિ અતુલના વિરોધ અને ચેતવણીઓ છતાં મમતા લીલીને ‘ભાવના બનાવવાના ભગીરથ પ્રયાસો શરૂ કરે છે. પણ શું વેશ્યાના મન પર ચડેલો. લોહિયાળ રંગ આસાનીથી ભૂંસાય છે? ઘરમાં આવ્યા પછી લીલીનું વર્તન અતુલ અને મમતાના સુખી સંસારમાં ભારે ઝંઝાવાત સર્જે છે.
પણ વાર્તામાં ખરો વળાંક ત્યારે આવે છે જ્યારે લીલીના ભૂતકાળ પરથી પડદો ઊંચકાય છે અને એક એવું સત્ય બહાર આવે છે જે સૌના પગ તળેથી જમીન ખસેડી નાખે છે! આ બધા વચ્ચે અમેરિકાથી ભણીને આવેલો એક સંસ્કારી યુવાન ગૌતમ લીલીને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર થાય છે, પણ… સ્ત્રી-ઉદ્ધારની મોટી મોટી વાતો કરતી ગૌતમની જ માતા અને આખો સમાજ વિરોધમાં ઊભા રહી જાય છે.
શું સમાજ એક પતિતાને પાવન થવાની તક આપશે? શું લીલી ખરેખર ‘ભાવના’ બની શકશે કે પછી રૂઢિચુસ્ત સમાજના અહંકારનો ભોગ બનશે?
માનવીય સંવેદનાઓ, આદર્શોની ભ્રમણા અને સમાજના દંભને બખૂબી ઉઘાડો પાડતી આ નવલકથા વાચકને છેલ્લા પાના સુધી જકડી રાખશે અને અંતે એક સણસણતો સવાલ મૂકી જશે: ‘વેશ્યાનો ઉકેલ શો હોઈ શકે?”