આપણે સ્ત્રીને ‘દેવી’ કહીએ છીએ, પૂજીએ છીએ… પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે પુરુષના અહંકાર અને વાસનાની વાત આવી છે, ત્યારે ત્યારે સ્ત્રી માત્ર એક ‘વસ્તુ’ બનીને રહી ગઈ છે.
આચાર્ય ચતુરસેન શાસ્ત્રીની નવલકથા ‘ગોલી’ વાંચવી એ ધગધગતા અંગારા પર ચાલવા જેવું છે.
વાત એક એવી સ્ત્રીની છે જેની રગોમાં લોહી તો રાજાનું છે, પણ કપાળે કિસ્મત દાસીની લખાયેલી છે. જરા વિચારો, જે દીકરીને કરિયાવરમાં કબાટ કે ઘરેણાંની જેમ એક ઘરથી બીજા ઘરે ‘ભેટ’ તરીકે આપી દેવામાં આવે, તેની મનોદશા શું હશે?
એ પત્ની જેવી જ હોય, પણ પત્ની નહીં! એ પ્રેમ બધો આપે, પણ એને અધિકાર કોઈ નહીં! એનું શરીર રાજાનું, પણ એના આત્માનું શું?
આ પુસ્તક તમને સવાલ પૂછશે કે શું પ્રેમ અને સમર્પણની કિંમત માત્ર શરીરથી જ અંકાય છે? રજવાડી પરંપરાઓના સોનેરી વરખ નીચે સડતી આ સચ્ચાઈ તમને અંદરથી હલાવી દેશે. ‘ગોલી’ એ માત્ર એક સ્ત્રીની વાર્તા નથી, પણ પુરુષપ્રધાન સમાજના મોઢા પર પડેલો એક સણસણતો તમાચો છે.
જો તમે સંબંધોના સત્યને પચાવવાની તાકાત ધરાવતા હોવ, તો જ આ પુસ્તક હાથમાં લેજો. કારણ કે આચાર્ય ચતુરસેને અહીં કોઈની શેહશરમ રાખ્યા વગર જે લખ્યું છે, તે વાંચીને તમારી આંખો ભીની થયા વગર નહીં રહે.
VAISHALI NI NAGARVADHU
Original price was: ₹750.00.₹675.00Current price is: ₹675.00.વૈશાલીની નગરવધૂ

Reviews
There are no reviews yet.