Meet The Author
"વ્યાસ દક્ષા બળવંતરાય (૨૬-૧૨-૧૯૪૧) : વિવેચક, જન્મ વ્યારામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વ્યારામાં. ૧૯૬૨માં સુરતથી બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૮માં પીએચ.ડી. ૧૯૬૭થી ૧૯૭૩ સુધી ગુરુકૂળ મહિલા કૉલેજ, પોરબંદરમાં અને ૧૯૭૩થી વ્યારા કૉલેજમાં ગુજરાતીમાં અધ્યાપક.
‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન’ (૧૯૮૧) એમનો શોધપ્રબંધ છે; તો ‘ભાવપ્રતિભાવ’ (૧૯૮૧), ‘સૌંદર્યદર્શી કવિઓ’ (૧૯૮૪) એમના સંશોધન-વિવેચનના ધ્યાનપાત્ર ગ્રંથો છે. ઉક્ત શોધપ્રબંધમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને પામવાની એમની અભ્યાસપૂત દ્રષ્ટિનું પ્રતિબિંબ ઝિલાયેલું જોવા મળે છે; ‘સૌંદર્યદર્શી કવિઓ’માં પાંચમા દાયકાના ચાર પ્રમુખ કવિઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ્ અને જયંત પાઠકની કાવ્યપ્રવૃત્તિનો ઉપરાંત પાછલા ત્રણની વિવેચનાનો પણ સવીગત આલેખ મળી રહે છે."
PRASHISHT KRUTI ANE BIJA
પ્રશિષ્ટ કૃતિ અને બીજા
Related products
GUJARAT NA AARTHIK VIKASMA NANA UDHYOGONO FALO
ગુજરાતના આર્થિક વિકાસમાં નાના ઉદ્યોગોનો ફાળો

Reviews
There are no reviews yet.