Shop

  • Home

120.00

CHUNTELI KAVITA : ZAVERCHAND MEGHANI

ચૂંટેલી કવિતા: ઝવેરચંદ મેઘાણી

9789384358679

Meet The Author

"1938ની 3 ફેબ્રુઆરીએ જન્મેલા વિદ્વાન લેખક શ્રી ચન્દ્રકાન્ત શેઠનું મૂળ વતન ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો અને જન્મસ્થળ પંચમહાલ જિલ્લાનું કાલોલ ગામ. તેમણે વિદ્યાવાચસ્પતિની પદવી માટે ‘ઉમાશંકર જોશી: સાહિત્યસર્જક અને વિવેચક’ એ વિષય પર મહાનિબંધ લખેલો. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક વિભાગમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષપદે સેવા આપી 2 ફેબ્રુઆરી, 1998ના રોજ નિવૃત્ત થયા. હાલ તેઓ ‘ગુજરાતી વિશ્વકોશ’માં સહસંપાદક અને ગુજરાતી ‘બાળવિશ્વકોશ’માં મુખ્ય સંપાદકનું કાર્ય સંભાળી રહ્યા છે. ઉપરાંત ભાષાસાહિત્યના સંશોધનક્ષેત્રે માર્ગદર્શક (ગાઇડ) પણ રહી ચૂક્યા છે. ગુજરાતની તેમજ રાષ્ટ્રીય સ્તરની ઘણી સાહિત્યસંસ્થાઓમાં તેઓ પ્રવૃત્ત રહી ચૂક્યા છે. સાહિત્યક્ષેત્રે વિશાળ ફલક પર તેમનું નોંધપાત્ર પ્રદાન છે અને ઘણાં પારિતોષિકોથી પણ તેમને નવાજવામાં આવ્યા છે જેમકે કવિતા માટે ‘કુમાર’ ચંદ્રક (1964), ગુજરાત સાહિત્ય અકાદમીમાં 4 વખત પ્રથમ, 2 વખત દ્વિતિય અને એક વખત તૃતીય પારિતોષિક મળ્યા છે. ઉપરાંત, દિલ્હી સાહિત્ય અકાદમીએ તેમની કૃતિ ‘ધૂળમાંની પગલીઓ’ માટે 1986માં તેમને નેશનલ ઍવૉર્ડથી નવાજ્યા છે. આવા ઘણાં પારિતોષિકો જેવા કે ધનજી કાનજી સુવર્ણચંદ્રક’, ઉશનસ્ પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક, જ્યોતિન્દ્ર હ. દવે પારિતોષિક, ગુ. સા. અકાદમીનો ગૌરવ પુરસ્કાર, આદ્યકવિ શ્રી નરસિંહ મહેતા ઍવૉર્ડ વગેરે અને બીજા અનેક ઍવૉર્ડ્સ તેમની યશકલગીમાં શોભી રહ્યા છે. વર્ષ 2025માં તેમને ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે."

આ સંગ્રહમાં તેમના ક્રાંતિકારી ગીતો, પ્રકૃતિ કાવ્યો, લોકગીતો, ભક્તિ કાવ્યો, અને પહાડી તેમજ દરિયાઈ જીવનને વર્ણવતી રચનાઓનો સમાવેશ થાય છે. તેમની ખંડકાવ્યો અને લોકસાહિત્ય પર આધારિત ગીતો પણ આમાં સામેલ છે, જે ગુજરાતી સાહિત્યમાં ક્લાસિક ગણાય છે. મેઘાણીની કવિતાઓની મુખ્ય વિશેષતા તેમની ઓજસ્વી ભાષા, પ્રાસાદિકતા, ઊંડાણ, ભાવવાહીતા અને લયાત્મકતા છે. તેઓ શબ્દોના માધ્યમથી ભાવકોના હૃદયને સીધો સ્પર્શી જાય તેવી અદભુત ક્ષમતા ધરાવતા હતા, પછી ભલે તે દેશભક્તિની વાત હોય કે લોકસંસ્કૃતિના ગૌરવની. ચંદ્રકાન્ત શેઠ દ્વારા કરવામાં આવેલું આ સંકલન મેઘાણીની કવિતાના શ્રેષ્ઠતમ નમૂનાઓને એકસાથે રજૂ કરે છે, જેથી વાચકો તેમની કાવ્યયાત્રાનો સંપૂર્ણ અનુભવ કરી શકે. આ પુસ્તક ગુજરાતી કવિતાના વિદ્યાર્થીઓ, સંશોધકો અને ખાસ કરીને સામાન્ય વાચકો માટે એક અનિવાર્ય સંગ્રહ છે, જે મેઘાણીની કાવ્યકલા અને તેમના અવિસ્મરણીય પ્રદાનને નજીકથી સમજવામાં મદદરૂપ થશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “CHUNTELI KAVITA : ZAVERCHAND MEGHANI”

Your email address will not be published. Required fields are marked *

Open chat
Hello