New

Original price was: ₹175.00.Current price is: ₹157.50.

HINDUTVA : EK AAGAVI VICHARDHARA

હિંદુત્વ: એક આગવી વિચારધારા

9789378083617

Meet The Author

હિંદુત્વ: આપણી અસ્મિતાનો ધબકાર
આજના કહેવાતા આધુનિક અને ‘સેક્યુલર’ વાતાવરણમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે છાતી ઠોકીને પોતાને ‘હિંદુ’ કહેવામાં આપણા જ કેટલાક બુદ્ધિજીવીઓને જાણે કોઈ અકથ્ય સંકોચ કે આભડછેટનો અનુભવ થાય છે! આવા વૈચારિક પ્રદૂષણના કાળમાં, પરમ આદરણીય અને પ્રકાંડ વિદ્વાન શ્રી કે. કા. શાસ્ત્રીની કલમે લખાયેલું પુસ્તક ‘હિંદુત્વ: એક આગવી વિચારધારા જ્યારે હાથમાં આવે, ત્યારે જાણે કોઈ રણમાં મીઠી વીરડી મળી ગઈ હોય એવો હાશકારો થાય છે.
શાસ્ત્રીજીએ આ પુસ્તકમાં માત્ર જૂના ઇતિહાસના પોથાં નથી ઉથલાવ્યા, પરંતુ હિંદુ હોવાના ગૌરવનો એક બૌદ્ધિક સિંહનાદ કર્યો છે. અંગ્રેજી શબ્દ ‘રિલીજિયન’ અને આપણો પ્રાચીન શબ્દ ‘ધર્મ’—આ બંને વચ્ચે આસમાન-જમીનનો તફાવત છે એ વાત આ પુસ્તક અત્યંત સચોટ રીતે સમજાવે છે. હિંદુત્વ કોઈ સંકુચિત વાડાબંધી નથી, પણ એક ઉદાર અને સતત વહેતી ‘જીવનપદ્ધતિ’ છે. સાચો હિંદુ એ છે જે ગીતામાં વર્ણવેલી ‘દૈવી સંપત્તિ’ (અભય, સત્ય, અહિંસા) ને પોતાના રોજિંદા આચરણમાં ઉતારે છે.
પશ્ચિમી સંસ્કૃતિની ઝાકઝમાળમાં અંજાઈ ગયેલા અને પોતાની જ વિરાસતને હીન માનતા આજના યુવાનો માટે આ પુસ્તક એક ઉત્તમ ‘વૈચારિક ઔષધિ’ છે. આપણી સમસ્યા એ છે કે આપણે વિદેશીઓની આંખે આપણી સંસ્કૃતિને જોવાની ટેવ પાડી દીધી છે. શાસ્ત્રીજીનું આ પુસ્તક આપણને આપણા પોતાના ચશ્મા પાછા પહેરાવે છે. આ કોઈ સામાન્ય લેખસંગ્રહ નથી, પરંતુ આપણી સોનેરી સાંસ્કૃતિક વિરાસત અને ‘અસ્મિતા’નું એક શક્તિશાળી વિઝન ડોક્યુમેન્ટ છે. આ પુસ્તક માત્ર વંચાવું ન જોઈએ, પરંતુ પચાવવું અને જીવાવું જોઈએ!
– બીજલ પટેલ

Reviews

There are no reviews yet.

Be the first to review “HINDUTVA : EK AAGAVI VICHARDHARA”

Your email address will not be published. Required fields are marked *