Original price was: ₹225.00.Current price is: ₹202.50.

BANDH GATHARIYA

બાંધ ગઠરિયાં

9789348144546

Meet The Author

"ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ‘ચં.ચી.મહેતા’ (૬-૪-૧૯૦૧, ૨૨-૪-૨૦૦૧): કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મેટ્રિક. ૧૯૨૪માં મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમ જ અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક. નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસ-પ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ. ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨-૪૬નો નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ચં.ચી., સી.સી. અને ચાંદામામાના હુલામણા નામે ઓળખાતા આ લેખક સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને ગદ્યકાર તરીકે ખ્યાત છે. ગુજરાતમાં અવૈતનિક રંગભૂમિનો પાયો એમણે નાખ્યો અને તેને માટે જરૂરી નાટકો પણ લખ્યાં. મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષની સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ. એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે."

અલગારી અતીતની અક્ષર-ગઠરી

‘ઇલાકાવ્યો’ના કવિ અને ‘આગગાડી’ના નાટ્યપ્રણેતા ચંદ્રવદન ચી. મહેતા — આપણા સ્નેહાદરભર્યા ‘ચં.ચી.’ — નું ગદ્યસ્વામી તરીકેનું પ્રદાન ‘ગઠરિયાં’ શ્રેણીમાં ચરમસીમાએ પહોંચે છે. કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’ના ગોત્રની આ સંસ્મરણકથા લેખકના અલગારી અતીતની અક્ષર-ગઠરી છે. પ્રસ્તુત પુસ્તક ‘બાંધ ગઠરિયાં’ (વિદ્યાર્થી આવૃત્તિ) દસ-બાર ભાગોમાં વિસ્તરેલી આ સૃષ્ટિમાંથી ખુદ લેખકના હાથે જ સંક્ષિપ્ત થયેલો ચૂંટેલા તેર મધુર નિબંધોનો સંચય છે.
આયુષ્યની પહેલી પચીસીના લગભગ ચાર દાયકાના દીર્ધ જીવનપટને આવરી લેતા આ સંસ્મરણોમાં ચં.ચી.ના બહુરંગી વ્યક્તિત્વનું તરવરતું ચિત્ર છે. અહીં વડોદરાના રેલવેના કારખાના સાથે સંકળાયેલું બાળપણ, તો સુરતમાં ગણિતના પાપે પાંચમી ચોપડીમાં ‘નાપાસ’ થતાં મામાએ કાઢેલો શરમભરેલો ‘વરઘોડો’ અને ખટમીઠો અભ્યાસકાળ આલેખાયો છે. સાથોસાથ, ધમધમતી મુંબઈ નગરીમાં ઉચ્ચ શિક્ષણ, વિલ્સન કૉલેજનો કૉલેજકાળ, ગણિતથી મુક્તિ અને નાટકની દુનિયામાં મક્કમ પ્રવેશ કરતી યુવાનીની છબી સુપેરે ઝિલાઈ છે.
‘ચં.ચી.’ના ગદ્યની તો મોહિની જ કંઈક ઓર છે! ખળખળ વહેતી નદીના પ્રવાહ જેવી અસ્ખલિત વાણી, ચોક્કસ પદવિન્યાસ અને ગદ્યનો વિશિષ્ટ લય વાચકને અચૂક આકર્ષે છે. સીમાચિહ્નરૂપ સાહિત્યિક વારસો બની રહેલ આ પુસ્તક તરુણો અને યુવાનો માટે મબલખ અનુભવ-મૂડી બની રહે તેમ છે. અતીતના પટ પર પથરાયેલી આ અક્ષર-ગઠરી, ખરેખર તો આપણી સાહિત્યિક થાપણ છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “BANDH GATHARIYA”

Your email address will not be published. Required fields are marked *