New

Original price was: ₹180.00.Current price is: ₹162.00.

ANDHARE AJVALU

અંધારે અજવાળું 

9789347073908

Meet The Author

‘જ્યારે સંજોગોના સુરજ આથમી જાય, ત્યારે ભીતરનો દીવો જ અજવાળું પાથરતો હોય છે.’
આ લઘુનવલ ‘અંધારે અજવાળું’ એક એવા યુવક – સાગરની કથા છે જેની આંખોમાં દાદાએ વાવેલાં સપનાં છે અને હૃદયમાં અખૂટ સ્નેહ. પીઠાઈ ગામની સંકડાશમાંથી નીકળીને નડિયાદના મુક્ત આકાશમાં ઊડવા મથતા સાગરની પાંખોમાં પ્રેમનું જોમ અને જ્ઞાતિનું ભારણ, બંને એકસાથે આવે છે.
ચાંદની સાથેનો સાગરનો પ્રેમસંબંધ જેટલો ઉત્કટ છે, તેટલો જ સામાજિક રૂઢિઓથી ઘેરાયેલો છે. લેખકે અહીં સાગરના પાત્ર દ્વારા પ્રથમ પુરુષ એકવચનમાં જે કથન માંડ્યું છે, તે વાચકને સીધો નાયકના આત્મા સાથે જોડી દે છે. પ્રેમની સ્વીકૃતિ અને અસ્વીકૃતિ વચ્ચે ઝોલા ખાતું સાગરનું મન, અને અંતે સર્જાતી કરુણ પરિસ્થિતિ વાચકની ભીતર એક ડૂમો ભરાવી દે છે.
પરંતુ આ કથા માત્ર નિરાશાની નથી. જીવનની કારમી પરીક્ષાઓ વચ્ચે પણ દાદાના શબ્દો કઈ રીતે પ્રેરણામૂર્તિ બનીને અંધકાર ચીરે છે, તેનું આ એક સબળ આલેખન છે. ચરોતરી લોકબોલીના કાકુઓ અને પાત્રોનું જીવંત નિરૂપણ કૃતિને એક અલગ ઊંચાઈ આપે છે.
પ્રેમ, પીડા, પ્રેરણા અને પ્રારબ્ધના તાણાવાણા ગૂંથતી, ચોમેર અંધકાર વચ્ચે આશાનું કિરણ પ્રગટાવતી કથા એટલે – ‘અંધારે અજવાળું’.

Reviews

There are no reviews yet.

Be the first to review “ANDHARE AJVALU”

Your email address will not be published. Required fields are marked *